નમો અરિહંતાણં નમસ્કાર હોજો અરિહંત ભગવંતોને
નમો સિધ્ધાણં નમસ્કાર હોજો સિદ્ધ ભગવંતોને
નમો આયરિયાણં નમસ્કાર હોજો આચાર્યજી ને
નમો ઉવજઝાયાણં નમસ્કાર હોજો ઉપાધ્યાયજી ને
નમો લોએ સવ્વસાહૂણં નમસ્કાર હોજો આ લોકને વિષે વિચરતા સૌ સાધુ-સાધ્વીજીઓને
એસો પંચ નમુક્કારો આ પાંચ પરમેષ્ટીને કરેલા નમસ્કાર છે.
સવ્વપાવ પ્પણાસણો બધા પાપોનો નાશ કરનાર છે.
મંગલાણં ચ સવ્વેસિં અને બધાં જ મંગલોમાં
પઢમં હવઈ મંગલં. પ્રથમ (સર્વશ્રેષ્ઠ) મંગલ છે.
નમો સિધ્ધાણં નમસ્કાર હોજો સિદ્ધ ભગવંતોને
નમો આયરિયાણં નમસ્કાર હોજો આચાર્યજી ને
નમો ઉવજઝાયાણં નમસ્કાર હોજો ઉપાધ્યાયજી ને
નમો લોએ સવ્વસાહૂણં નમસ્કાર હોજો આ લોકને વિષે વિચરતા સૌ સાધુ-સાધ્વીજીઓને
એસો પંચ નમુક્કારો આ પાંચ પરમેષ્ટીને કરેલા નમસ્કાર છે.
સવ્વપાવ પ્પણાસણો બધા પાપોનો નાશ કરનાર છે.
મંગલાણં ચ સવ્વેસિં અને બધાં જ મંગલોમાં
પઢમં હવઈ મંગલં. પ્રથમ (સર્વશ્રેષ્ઠ) મંગલ છે.
નવકાર મંત્ર ૯ (નવ) પદો અને ૬૮ (અડસઠ) અક્ષરોના સમાવેશવાળા આ મહામંત્રનું ભારતીય ઉપખંડમાં પ્રચલિત એવા જૈન ધર્મમાં ઘણું મહત્વ છે. નવકાર મંત્ર એ જૈન ધર્મના અનુયાયીઓ માટેનો આધારભૂત મંત્ર છે, જેનો પાઠ દિવસનાં કોઇ પણ સમયે કરી શકાય છે. આ મંત્રપાઠ દ્વારા પ્રાર્થના કરનાર ભક્ત, અરિહંતો, સિધ્ધો, આચાર્યો, ઉપાધ્યાયો અને સર્વ સાધુઓને આદરપૂર્વક નમસ્કાર કરે છે. આ મંત્ર દ્વારા કોઇ એક વ્યક્તિની પૂજા નહીં પરંતુ બધાજ સર્વોચ્ચ આધ્યાત્મિક મહાત્માઓનાં ગુણોની પૂજા કરવામાં આવે છે. એ પણ નોંધવા જેવું છે કે નવકાર મંત્રમાં કોઇનું પણ, અરિહંત કે સિધ્ધોનું પણ, નામ લેવામાં આવેલ નથી. મંત્રપાઠનાં સમયે, જૈન ભક્ત તેમનાં ગુણોને યાદ કરે છે અને તેમનું અનુસરણ કરવાની કોશિશ કરે છે. માટે જ તેને નવકાર મંત્ર કહેવાય છે. આ વાત જૈન ધર્મના અનેકાંતવાદના સિદ્ધાંતની પુષ્ટી કરે છે. નવકાર મંત્ર ને નમસ્કાર મંત્ર પણ કહેવાય છે અને તે જૈન ધર્મનો ઘણો મહત્વનો મંત્ર છે.
Jai Jinendra
From : www.dabhoitirth.weebly.com
From : www.dabhoitirth.weebly.com